રાજકોટ શહેરની નજીક આવેલા આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં! 360 વર્ષથી હરિયાળી વચ્ચે 1100 ફૂટની ઉંચાઈ પર ઊભો રહેલો હિંગોલગઢ કિલ્લો તમને શિમલાની હરિયાળી ખીણનો અહેસાસ કરાવે છે. ચોમાસાની ઋતુમાં ચારે તરફ કુદરતની લીલી ચાદર છવાઈ જાય છે અને હિંગોલગઢનો કિલ્લો વાદળો સાથે વાત કરે છે. પ્રાકૃતિક શિક્ષણનું કેન્દ્ર હોવાની સાથે સાથે, હિંગોલગઢ ઐતિહાસિક ધરોહર છે.

કિલ્લો સમુદ્ર સપાટીથી 335 મીટર (1100 ફૂટ) ઊંચો છે. કિલ્લાની સુંદરતાની ચારેબાજુ અસંખ્ય વૃક્ષોના ગીચ ઝુંડ ઉગી ગયા છે. ચોમાસાની ઋતુમાં હિંગોલગઢની સુંદરતા ખૂબ જ અનોખી હોય છે.
હિંગોલગઢની સુંદરતા જોવા લાયક છે, હિંગોલગઢ યુરોપીયન શૈલી પ્રમાણે બનાવેલ છે. જસદણ તરફના કિલ્લાની પશ્ચિમ બાજુએ એક જ દરવાજો છે. અહીં હિંગળાજ માતાનું પવિત્ર મંદિર છે. તમે આધ્યાત્મિકતાની ભાવના સાથે પ્રકૃતિ અને વન્યજીવનનો આનંદ માણી શકો છો.
હિંગોળગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. જસદણ ગામથી વિંછીયા જવાના રસ્તે એક ઉંચી ટેકરી પર કિલ્લો દેખાય છે. રાજકોટથી બોટાદ જતા માર્ગ પર 77 કિ.મી. જસદણથી 18 કિ.મી. દૂર હિંગોલગઢનો કિલ્લો છે વધુ વાંચો