ભગુડા એ ભાવનગરથી 75 કિમી અને તળાજાથી 17 કિમી દૂર એક નાનકડું ગામ છે, કહેવાય છે કે વર્ષો પહેલા ભગુ નામના ઋષિ અહીં જપ કરતા હતા. ભગુડા ગામનું નામ ભગુ ઋષિના નામ પરથી પડ્યું હતું.ર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. ભગુડા ,મોગલમાંનું ધામ છે. .
ભગુડા ગામમાં દિવસ કે રાત કોઈના ઘર કે દુકાનના તાળા નથી લગાડવવામાં આવતા જ નથી . આ ભગુડા ગામમાં હજુ સુધી કોઈ ચોરીની ઘટના બની નથી.ભગુડા ગામએક મહાતીર્થ છે, સૌથી ખાસ વાત એ છે કે, ભગુડા ગામમાં તાળું એટલે નથી લગાડવવામાં આવતું કારણ કે, માં મોગલ સ્વયં લોકોના ઘરોની રક્ષા કરે છે અને સૌ ગામના લોકો પણ માં પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
અહીં એક પૌરાણિક સ્થળ પણ છે,જેમાં નળ અને દમયંતિની સ્થાપના સાથે નળેશ્વર મહાદેવનું મંદિર છે. આ સાથે અહીં હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે.અહીં એવી માન્યતા છે કે ગામમાં જો કોઈ વ્યક્તિને વીંછી કરડે તો હનુમાનજી દાદાના નામનો જાપ કરવાથી વીંછીનું ઝેર થતું નથી. ગામમાં આવેલા ભાટીયુ તળાવની સાથે જ એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલેરિયા થાય છે તો તે આ તળાવનું એક ગ્લાસ પાણી પીવે તો મેલેરિયા જડમૂળથી નાબૂદ થઈ જાય છે.
ભગુડા ગામમાં માત્ર આહીર સમાજના લોકો જ રહે છે. ભગુડા ગામની વસ્તી 1400 છે. ભગુડા ગામના ભટ્ટ પરિવારના બ્રહ્મલિન પરમ પૂજ્ય ઉદય નારાયણ બાપુનો આનંદ આશ્રમ પણ આવેલો છે.