દુલા ભાઈકાગ ગુજરાતના પ્રખ્યાત લેખક, ગીતકાર હતા અને તેમની કાગવાણી માટે જાણીતા હતા. કળિયુગ વિશે ઘણા લોકોએ ઘણી વાતો કહી છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં થયો હતો. તેના પિતા ભરવાડ હતા. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી દુલાભાઈ કાગની જીભ પર વાસ કરે છે. દુલાભાઈ કાગને સાહિત્યક્ષેત્રમાં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા અને સૌથી ખાસ વાત એ છે કે, તેમણે માત્ર 5 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે છતાં તેમણે અઢળક સાહિત્ય આપેલું.
દુલા ભાયા કાગે તેમની કાગવાણીમાં કહ્યું છે કે, “જેના પર દેવું છે તેની સાથે ક્યારેય મિત્રતા ન કરો અને એવી વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા ન કરો જે પોતાના લોકોની અંગત વાતો બીજાને કહી દે છે. જો તમારે સમગ્ર વિશ્વને જીતવું હોય તો નમ્રતાનો માર્ગ અપનાવો અને વ્યક્તિએ પોતાના કાર્યમાં ક્યારેય ધ્યાન ભટકવા ન દેવું જોઈએ.
જુવાની આવે ત્યારે વર્તન હમેશાં સારું રાખવું કારણ કે તેના પર આવનારું ભવિષ્ય તમારું ઘડાય છે. થાકેલા માણસને દરરોજ રસ્તો વધુ પ્રમાણમાં લાંબો જોવા મળે છે તેવી જ રીતે નિરાશ માણસને પણ મંઝિલ દૂર લાગે છે અને અનિંદ્રાનો ભોગ બનેલી માણસને એક આખી રાત્રી પણ લાંબી લાગે છે.
જો તમારું કોઈ દ્ઢ લક્ષ્ય હોય તો તેના પ્રત્યે મનોબળ રાખો અને કોઈપણ જાતનો ઉત્સાહ તથા પ્રેમ ન હોય તો સફળતા દૂર રહે છે અને જો આવું જ વર્તન રાખવામાં આવે તો સફળતા