જૂનાગઢ એટલે ગુજરાતનું ઐતિહાસિક શહેર અને સ્વર્ગ અને જૂનાગઢ એટલે હરી-હરની ભૂમી. જૂનાગઢ આવતાં સૌથી પહેલું કામ ગિરનાર જવાનું છે. દર વર્ષે ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો ભાગ લે છે. હિંદુઓ અને જૈનો માટે ગિરનાર એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે અને તમે ખાસ કરીને ગિરનાર રોપવેનો આનંદ માણી શકો છો.
ઉપરકોટ: રાણકદેવીનો મહેલ ઉપરકોટના કિલ્લામાં જ આવેલો છે. જૂનાગઢનું વિસ્તરણ ઉપરકોટથી આગળ વધી ગયું છે. પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઈતિહાસની યાદ અપાવે છે. અડીકડી વાવ અને નવઘણ કુઆં જેણે જોઈ નથી તે એનો જન્મ એળે ગયો.

મહાબત મકબરોઃ સૌરાષ્ટ્રનો તાજમહેલ એટલે મહાબતની કબર. જે બહાઉદ્દીનભાઈ હસનભાઈની કબર છે.જૂનાગઢમાં એક સમયે નવાબોનું શાસન હતું. તે જ સમયે, આ સમાધિ 18મી સદીની આસપાસ બનાવવામાં આવી હતી. સમાધિનું બાંધકામ ઘણું સારું છે.
બૌદ્ધ ગુફાઓ: જૂનાગઢમાં આવેલું આ સ્થાન વાસ્તવમાં કોઈ કુદરતી ગુફા નથી, પરંતુ પથ્થરમાંથી કોતરવામાં આવેલ ત્રણ ઓરડાઓનો સમૂહ છે. જેમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન બંધાયેલી આ ગુફા સૌથી જૂની ગુફાઓમાંની એક છે. દિવાલો પર લખાણ પણ છે.
વિલિંગ્ડન ડેમઃ વિલિંગ્ડન ડેમ ગુજરાતના જૂનાગઢ શહેરથી માત્ર 3 કિમી દૂર આવેલો છે. આખા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. હરિયાળી અને ટેકરીઓથી ઘેરાયેલો આ ડેમ તમને માનસિક શાંતિનો અહેસાસ કરાવશે વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…