જેઠાલાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભગત છે અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જ તેમને તારક મહેતા સિરિયલમાં કામ મળ્યું અને તેમનું જીવન બદલાઈ ગયું. એક સમય એવો હતો કે, દિલીપ જોશી પ્રમુખ સ્વામી વિષે અજાણ જ હતા પરંતુ વર્ષ 2008માં અભિનેતા અરવિંદ પંડ્યાના દીકરા દેવલ પંડ્યા દિલીપ જોશીને પરાણે સત્સંગમાં લઈ ગયા.પહેલીવાર રવિસભામાં ગયા પછી દિલીપ જોશી નિયમિત સંત્સંગમાં જોડાયા. પ્રમુખસ્વામી મહારાજને મળ્યા વિના પણ તેમની વાણી અને એ વાણી મારફત મળતી પ્રેરણાનો લાભ મળવો શરૂ થયો.

JAY SHREE SWAMINARAYAN

એકવાર રસ્તામાં જ બાપાના દર્શન દિલીપ જોશીને અનાયસે થયા અને એ પ્રથમ દર્શની અનુભૂતિ દિલીપ જોશી માટે અનોખી જ હતી. દિલીપ જોશી .રવિસભાની સૂચનાઓ કે પછી સંવાદોનું કોઈ રેકૉર્ડિંગ કરવાનું હોય ત્યારે સ્વામીઓ કહેવડાવે તો બધું કામ પડતું મૂકીને જવાનો નિયમ પણ બનાવી લીધો. બાપાની સંગતમાં આવ્યા પછી દિલીપ જોશી બદલાય ગયા.પ્રમુખસ્વામી મહારાજ સાથે અંગત વાર્તાલાપ ક્યારેય નથી થયો. તેમના વિચારો, તેમની વાણી અને તેમના શબ્દોનો પ્રભાવ જ એટલો હતો કે દિલીપ જોશીને ક્યારેય નહીં થયેલા વાર્તાલાપનો કોઈ અફસોસ પણ નથી રહ્યો.

FIRST MEETING WITH BAPA

અંગત દર્શન માટે દેવલ પંડ્યા સાથે દિલીપ જોશીને જવાનું બન્યું ત્યારે વચ્ચે મોટું ટેબલ હોય, બાપા દૂર બેઠા હોય, ચરણસ્પર્શ કરવાની મનાઈ હોય, માત્ર ટેબલ પર જ હાથ પાથરીને દર્શન કરી લેવાનાં. દિલીપ જોશીએ દર્શન કર્યા ત્યારે દેવલ પંડ્યાએ બાપાને ઓળખાણ આપી. બાપાએ હાથ લંબાવીને તેમનો આછો એવો સ્પર્શ દિલિપ જોશીના હાથને કર્યો અને પછી માંડ અડધી સેકન્ડ માટે સામે જોયું એ દિલીપ જોશી માટે દિવ્ય અનુભવ હતો.