શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે.
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।
જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર છે; પરંતુ જેણે પોતાનું મન જીત્યું નથી તેનું મન જ તેના પરમ શત્રુ જેમ વર્તે છે. (અધ્યાય છઠ્ઠો, શ્લોક ૬ )
દરેકની સુખની કામના હોય છે, પરંતુ ગીતાના આ મુજબ કહ્યું છે, આવા યોગીને જ ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ।
કેમકે જેનું મન શાંત છે, નિષ્પાપ છે અને રજોગુણ ટળી ગયો છે એવા બ્રહ્મરૂપ થયેલ આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. (અધ્યાય છઠ્ઠો, શ્લોક ૨૭ )
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં દરેક પ્રશ્નનોના ઉત્તર મળે છે.
प्राप्य पुण्यकृतां लोकानुषित्वाशाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।
તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે.(અધ્યાય છઠ્ઠો, શ્લોક ૪૧)