કથા 1 :
અશોક વાટિકામાં જ્યારે ક્રોધથી ભરેલો રાવણ તલવાર લઈને સીતા માતાને મારવા દોડી આવ્યો હતો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે એમની જ તલવાર છીનવીને તેમનું માથું કાપી નાખવું જોઈએ! વધુ વાંચો.
પરંતુ, બીજી જ ક્ષણે હનુમાનજીએ જોયું કે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો.
આ જોઈને તેઓ ગદગદ થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે જો હું આગળ વધતે તો મને ભ્રમ થઈ જાત કે ‘જો હું ન હોત તો સીતાજીને કોણે બચાવ્યા હોત?’
ઘણીવાર આપણે આ રીતે મૂંઝાઈ જઈએ છીએ કે હું ન હોત તો શું થાત?વધુ વાંચો.
પણ આ શું? ભગવાને સીતાજીને બચાવવાનું કામ રાવણની પત્નીને જ સોંપ્યું હતું! ત્યારે હનુમાનજી સમજી ગયા કે ભગવાન જેની પાસેથી કામ લેવા માંગે છે તેની પાસેથી જ લે છે!
આગળ જઈને જ્યારે ત્રિજતાએ કહ્યું કે “લંકામાં વાનર આવ્યો છે, અને તે લંકાને બાળી નાખશે!” ત્યારે હનુમાનજી ખૂબ ચિંતિત થયા કે ભગવાને લંકા બાળવાનું કહ્યું નથી, અને ત્રિજટા કહી રહી છે કે તેણે સ્વપ્નમાં જોયું છે કે, એક વાનરે લંકા બાળી છે! હવે મારે શું કરવું જોઈએ? જેવું પ્રભુની ઈચ્છા!વધુ વાંચો.
જ્યારે રાવણના સૈનિકો તલવાર લઈને હનુમાનજીને મારવા દોડયા, ત્યારે હનુમાનજીએ પોતાને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. અને જ્યારે વિભીષણે આવીને કહ્યું કે દૂતને મારવો એ અનીતિ છે, ત્યારે હનુમાનજી સમજી ગયા કે ભગવાને મને બચાવવા આ ઉપાય કર્યો છે.
આશ્ચર્યની પરાકાષ્ઠા ત્યારે થઈ જ્યારે રાવણે કહ્યું કે આ વાનરને મારવામાં નહીં આવે, પરંતુ તેની પૂંછડીમાં કપડું લપેટીને, ઘી લગાવીને સળગાવવામાં આવશે. હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રિજટાની લંકા વાળી વાત સાચી છે, નહીં તો લંકાને બાળવા માટે હું ક્યાંથી ઘી, તેલ, કપડું લાવતે અને ક્યાં આગ શોધતે? પણ પ્રભુએ તેની સગવડ પણ રાવણ પાસે કરાવી દીધી. જ્યારે તેઓ રાવણ પાસેથી પણ પોતાનું કામ કરાવી લે છે, તો મારી પાસેથી કરાવે તેમાં શું નવાઈ!વધુ વાંચો.
તેથી હંમેશા યાદ રાખો કે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે બધા ઈશ્વરીય નિયમ છે! અમે અને તમે માત્ર નિમિત્ત જ છીએ! એટલા માટે ક્યારેય એ ભ્રમમાં ન રહેવું કે – હું ન હોત તો શું થાત?
એક વાત દૃઢ રાખવી કે – ન તો હું શ્રેષ્ઠ છું, અને ન તો હું ખાસ છું, હું તો ભગવાનનો એક નાનો દાસ છું.
કથા : 2
એક પંડિત રોજ રાણીને કથા સંભળાવતો. કથાના અંતે તે બધાને કહેતો કે ‘રામ કહો તો બંધન તૂટી જાય’. ત્યારે પાંજરામાં બંધ પોપટ કહેતો કે, ‘આવું ન બોલો, તમે જુઠ્ઠા પંડિત છો’.વધુ વાંચો.
પંડિતને ગુસ્સો આવતો કે અહીં હાજર લોકો શું વિચારશે, રાણી શું વિચારશે. એક દિવસ પંડિત તેના ગુરુ પાસે ગયો અને ગુરુને બધી વાત જણાવી. પછી ગુરુ પોપટ પાસે ગયા અને પૂછ્યું કે – તું આવું કેમ કહે છે?
ત્યારે પોપટે કહ્યું – હું પહેલા ખુલ્લા આકાશમાં ઉડતો હતો. એકવાર હું એક આશ્રમમાં બેઠો હતો જ્યાં બધા ઋષિ-મુનિઓ રામ-રામ-રામ કહેતા હતા, તેથી મેં પણ રામ-રામ કહેવાનું શરૂ કર્યું.
એક દિવસ હું એ જ આશ્રમમાં રામ-રામ કહી રહ્યો હતો, ત્યારે એક સંતે મને પકડીને પાંજરામાં બંધ કરી દીધો, પછી મને એક-બે શ્લોક શીખવ્યા. આશ્રમમાં આવતા એક શેઠે સંતને થોડા પૈસા આપીને મને ખરીદ્યો. પછી શેઠે મને ચાંદીના પાંજરામાં રાખ્યો, મારું બંધન વધતું ગયું.
બહાર નીકળવાની કોઈ શક્યતા નહોતી. એક દિવસ શેઠે રાજા પાસેથી પોતાનું કામ કઢાવવા માટે મને ભેટ તરીકે રાજાને આપી દીધો. રાજાએ મને ખુશી-ખુશી લઈ લીધો કારણ કે હું રામ-રામ કહેતો હતો.વધુ વાંચો.
રાણી ધાર્મિક પ્રકૃતિના છે તેથી રાજાએ મને રાણીને આપી દીધો. હવે હું કેવી રીતે કહી શકું કે ‘રામ-રામ કહે તો બંધન તૂટે’.
પોપટે ગુરુને કહ્યું કે, હવે તમે જ મને કોઈ યુક્તિ કહો, જેથી હું મારા બંધનમાંથી મુક્ત થઈ શકું.
ગુરુએ કહ્યું – આજે તું શાંતિથી સૂઈ જા, હલનચલન પણ ન કરતો. રાણી વિચારશે કે તું મરી ગયો છે એટલે તને છોડી મુકશે. અને પોપટે ગુરુની વાત માની તો તેનું બંધન તૂટી ગયું.વધુ વાંચો.
બીજા દિવસે કથા પછી પોપટ બોલ્યો નહિ ત્યારે સંતે રાહતનો શ્વાસ લીધો. રાણીએ વિચાર્યું કે પોપટ હલતો પણ નથી, કદાચ તે મરી ગયો છે. રાણીએ પાંજરું ખોલ્યું, ત્યારે પોપટ ફટાફટ પાંજરામાંથી બહાર નીકળી ગયો અને ‘સદગુરુ મળે તો બંધન તૂટે’ કહીને આકાશમાં ઉડી ગયો.
માટે ગમે તેટલા શાસ્ત્રો વાંચો, ગમે તેટલા જપ કરો, પણ સાચા ગુરુ વિના બંધન છૂટતું નથી.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••