પ્રથમ વખત ભવનાથની ગીરી તળેટીમાં કિન્નર અખાડાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો અલખના ઓટલે ધુણો ધખાવતા જોવા મળશે.વધુ વાંચો.

જૂનાગઢની મુચકુન્દ ગુફા ખાતે શિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે કિન્નર અખાડાના આચાર્ય અને મહામંડલેશ્વરે લીધા ગરબા પણ લીદા હતાં. આ સાથે તમામ સંતોએ પણ ગરબા લીધા હતાં. ભારતભરમાંથી કિન્નર અખાડાના લોકો જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે શ્રીપંચદશનામ જૂના અખાડા સંઘ રક્ષક અને અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહામંત્રી હરિગીરીજી મહારાજે જણાવ્યું હતું કે ગિરનારમાં મહાશિવરાત્રીનો મેળો શિવની આરાધના કરવાનો મેળો છે અને તમાં દરેક જ્ઞાતિ, જાતિના મનુષ્યો શિવની આરાધનામાં લીન થાય છે. બધા મનુષ્યો શિવના સંતાન છે.વધુ વાંચો.

ભવનાથ ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો દેશભરમાંથી આવનારા સાધુ સંતો માટે એક મોટા અવસર સમાન છે અને આ મેળાનું મુખ્ય આકર્ષણ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી રવાડી છે. દેશભરમાંથી વિવિધ અખાડાના મહંતો સહિત અઢળક સંખ્યામાં આવેલા દિગંબર સાધુઓ આ રવાડીમાં જોડાય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત આ રવાડીમાં કિન્નર અખાડાના સાધુ સંતો પણ જોડાશે. ભારતીય સંસ્કૃતિમાં અને સનાતન ધર્મમાં કિન્નરોનું સ્થાન પણ સમાન ગણવામાં આવે છે, જેની એક ઝાંખી જૂનાગઢનાં ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રિના મેળાની રવાડીમાં પણ જોવા મળશે. હાલ કિન્નર અખાડાના મહામંડલેશ્વરશ્રી લક્ષ્મીનારાયાણ નંદગીરીજી સહિત બીજા સાધુઓ મુચકુંદ ગુફામાં સ્થાયી થયા છે. વધુ વાંચો.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.