વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે 12 ફેબ્રુઆરી, 2023થી ભવ્ય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બે દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ 51 શક્તિપીઠોની પરિક્રમા કરી હતી. આજે ચોથા દિવસે પણ હજારો ભક્તો ગબ્બર તળેટીમાં આવેલી 51 શક્તિપીઠોની પરિક્રમા કરી રહ્યા છે. જય અંબે નાદ અને મા અંબાના જયઘોષ સાથે ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. અંબાજીમાં ભક્તોની ભીડને જોતા બનાસકાંઠા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. વધુ વાંચો.

પરિક્રમા 6 દિવસ સુધી ચાલશે
ગબ્બર પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. અંબાજી ગબ્બર પરિક્રમા વધુ એક દિવસ લંબાવવામાં આવી છે. હવે 5 દિવસના બદલે 6 દિવસની પરિક્રમા કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પ્રશાસને અંબાજી ખાતે શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.વધુ વાંચો.
51 શક્તિપીઠોની પરિક્રમા કરવાનો ઉત્સાહ
51 શક્તિપીઠોની પરિક્રમા અંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તો મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. ભક્તો હાથમાં જય અંબે કા જય ઘોષ સાથે 51 શક્તિપીઠોની આ પરિક્રમા કરી રહ્યા છે. ભક્તો માટે પાણી, છાશ, નાસ્તો અને અન્નકૂટની કેમ્પો ગોઠવવામાં આવી છે. સામાજિક સંસ્થાઓની સાથે વહીવટી તંત્ર પણ આ સેવા કેમ્પમાં સેવા આપીને ભક્તોને આવકારી રહ્યું છે.વધુ વાંચો.

નક્કર વ્યવસ્થા કરવામાં આવી હતી
ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને લઇ જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.વધુ વાંચો.
પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપવામાં આવશે
અંબાજીમાં શક્તિ પરિક્રમા અંગે સરકારે લીધો મોટો નિર્ણય. પરિક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે અને તેનો લાભ મુસાફરીના 24 કલાકની મર્યાદામાં મળશે. લાભ મેળવવા માટે યાત્રાળુએ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તેમજ આ લાભ 12 થી 16 ફેબ્રુઆરી સુધી આપવાનો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને તેનો લાભ મળશે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.