હિન્દી સિનેમામાં દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની છે અને જ્યારે પણ દેશભક્તિનો ઉલ્લેખ થાય છે ત્યારે ભગતસિંહનું નામ સૌથી પહેલા આવે છે. 23 વર્ષની વયે ભગત સિંહે દેશ માટે પોતાનું બાલીદાન આપ્યું હતું

બોલિવૂડમાં ભગત સિંહ પર ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં ભગતસિંહનું જીવનચરિત્ર બતાવવામાં આવ્યું છે.

શહીદ-એ-આઝાદ ભગતસિંહ
ભગત સિંહના મૃત્યુના 23 વર્ષ પછી આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ જગદીશ ગૌતમે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પ્રેમ આબિદ, જયરાજ, સ્મૃતિ બિસ્બાસ અને આશિતા મજુમદાર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું ગીત સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ જબરદસ્ત હિટ રહ્યું હતું.

શહીદ ભગતસિંહ
બીજી ફિલ્મ, જે શહીદ ભગત સિંહ પર આધારિત હતી, તે વર્ષ 1963માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન કેએન બંસલે કર્યું હતું. આ ફિલ્મમાં શમ્મી કપૂરે ભગત સિંહનો રોલ કર્યો હતો.

શહીદ
મનોજ કુમારે 1965માં આવેલી ફિલ્મ શહીદમાં ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. એસ રામ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મ એ વતન, સરફરોશી કી તમન્ના, ઓ મેરે રંગ દે બસંતી ચોલા, પગડી સંભલ જટ્ટામાં લતા મંગેશકર, મુકેશ, મોહમ્મદ રફી અને મન્ના ડેના ગીતો હિટ રહ્યા હતા.

શહીદ-એ-આઝમ
વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સુકુમાર નાયર દ્વારા નિર્દેશિત ભગત સિંહના સમગ્ર જીવનની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનુ સૂદે ભગત સિંહનો રોલ કર્યો હતો.

ધ લેજન્ડ ઓફ ભગતસિંહ
આ ફિલ્મ માં ભગત સિંહના રોલમાં અજય દેવગણે ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ભગત સિંહે ભારતને આઝાદ કરવા માટે કેવી રીતે સંઘર્ષ કર્યો તે વિગતવાર બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ કુમાર સંતોષીએ કર્યું હતું. ધ લિજેન્ડ ઓફ ભગત સિંહને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, જ્યારે અજયને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.