જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી 1948ના રોજ થયો હતો. તેમને જોઈને કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આ છોકરી એક દિવસે ફિલ્મોમાં નામ રોશન કરશે અને પછીથી રાજકારણમાં પણ કાઠું કાઢશે. જયલલિતાએ પોતાના જીવનમાં ઘણું બધું જોયું અને તમામ એવી મુશ્કેલીઓ વેઠી જેનો સામનો કદાચ જ કોઈ સામાન્ય રીતે કરે. જ્યારે જયલલિતા માત્ર બે વર્ષનાં હતાં, તેમના પિતાનું નિધન થયું. માત્ર 15 વર્ષની ઊંમરમાં જ તેમને જબરજસ્તી ફિલ્મજગતમાં મોકલી દેવામાં આવી. અભિનયના બળે જયલલિતાએ એ રીતે પોતાના પગ અહીં જમાવ્યા કે તામિલ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર બની ગયા, આ સિવાય તેમણે બૉલિવૂડમાં ધર્મેન્દ્ર સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું હતું વધુ વાંચો

જયલલિતાએ સેટ કર્યો નવો ટ્રેન્ડજયલલિતાએ એક્ટિંગની શરૂઆત અંગ્રેજી ફિલ્મ દ્વારા કરી હતી. પહેલા તેમણે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી તમિલ સિનેમા તરફ વળ્યા. તે સમયમાં જયલલિતા પહેલા એવા અભિનેત્રી હતાં, જેમણે સ્કર્ટ પહેરીને એક્ટિંગ કરી હતી. તેમને તામિલનાડુમાં આયર્ન લેડી અને તામિલનાડુંની માર્ગરેટ થેચર પણ કહેવામાં આવ્યા વધુ વાંચો

તમિલ સિનેમામાં ધીમે-ધીમે જયલલિતાનું નામ લોકોની જીભે ચડવા માંડ્યું. આ એ જ સમય હતો, એમજીઆર સાથે બની જોડી તમિલ સિનેમામાં ધીમે-ધીમે જયલલિતાનું નામ લોકોની જીભે ચડવા માંડ્યું. આ એ જ સમય હતો, જ્યારે તે એમજીઆર એટલે કે એમજી રામચંદ્રનના સંપર્કમાં આવ્યાં. બન્નેની જોડી એટલી બધી જામી કે એમજીઆરની ફિલ્મો જયલલિતા વગર અધૂરી લાગતી હતી. હકિકતે, 1965 થી 1972 સુધી જયલલિતાએ મોટાભાગની ફિલ્મો એમજીઆર સાથે જ કરી વધુ વાંચો

જયલલિતાએ આખું જીવન અવિવાહિત રહીને વિતાવ્યું. જો કે, એમજીઆર સાથે તેમનું નામ જોડવામાં આવ્યું, કહેવમાં આવે છે કે એમજીઆર અને જયલલિતાના સંબંધો ખૂબ જ રુહાની હતા. બન્ને ખુલીને તો ક્યારેય સામે ન આવ્યા, પણ તેમના સંબંધોને લઈને હંમેશાં તમામ વાતો કરવામાં આવી. પછીથી, તેઓ એમજીઆરનાં રાજનૈતિક ઉત્તરાધિકારી પણ બન્યાં વધુ વાંચો
ફિલ્મોમાં ઘણો સમય સુધી કામ કર્યા બાદ એમજીઆર રાજકારણમાં આવ્યા. ત્યાર બાદ 10 વર્ષ સુધી એમજીઆર અને જયલલિતા વચ્ચે કોઈ કનેક્શન નહોતું. જો કે, 1982માં એમજીઆર તેમને રાજકારણમાં લઈ ગયાં, પણ જયલલિતા હંમેશા આ વાત માટે ના પાડતાં રહ્યાં વધુ વાંચો
કહેવામાં આવે છે કે રાજકારણમાં જ્યારે એમજીઆરનો સામનો કરુણાનિધિ સાથે થયો તો તે હેરાન થઈ ગયા. એવામાં તેમણે જયલલિતાને આગળ કરી, જેમનો સામનો કરુણાનિધિ ન કરી શક્યા. હકિકતે, જયલલિતા ખૂબ જ સારાં વક્તા હતાં. આખું ભાષણ ડાયલૉગની જેમ વાંચી શકતાં હતાં. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં ઉથલપાથલનો માહોલ હતો અને એમજીઆર ખૂબ જ બીમાર હતા. ત્યારે જયલલિતાએ સંપૂર્ણ રીતે રાજકારણમાં આવ્યાં વધુ વાંચો
છ વાર બન્યાં તામિલનાડુના મુખ્યમંત્રી1987માં જ્યારે એમજીઆરનું નિધન થયું, ત્યારે જયલલિતા ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યાં. જો કે, તેમના આ પગલાંથી અન્નાદ્રમુક બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક જૂથનાં નેતા એમજીઆરના વિધવા જાનકી રામચંદ્રન બન્યાં. તો, બીજા જૂથ પર જયલલિતાનો કબ્જો હતો અને રાજનૈતિક દંગલમાં જયલલિતાએ જાનકી સામે બીજી જીતી. અભિનય બાદ રાજકારણમાં પણ જયલલિતાએ એટલું સુંદર રીતે કામ કર્યું કે તે છ વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યાં. તેમના અનેક નિર્ણયો આજે પણ યાદ કરવામાં આવે છે વધુ વાંચો
જ્યારે વિધાનસભામાં ખેંચાઈ સાડીરાજનૈતિક દંગલમાં એક સમય એવો પણ આવ્યો, જ્યારે વિધાનસભામાં જયલલિતાની સાડી સુદ્ધાં ખેંચવામાં આવી. આ ઘટનાની પાછળ કરુણાનિધિનો હાથ હતો એવું કહેવામાં આવ્યું. કહેવામાં આવે છે કે જયલલિતાએ આ ઘટનાની તુલના દ્રૌપદી ચીરહરણ સાથે કરી. સાથે જ તેમણે કસમ ખાધી કે તે મુખ્યમંત્રી બનીને જ વિધાનસભામાં આવશે. ત્યાર બાદ જયલલિતા અને કરુણાનિધિ એક-બીજાના આકરા વિરોધી બન્યા વધુ વાંચો
ઘરેણાં- કપડાંના શોખીનકહેવામાં આવે છે કે જયલલિતા ઘરેણાં અને કપડાંના ખૂબ જ શોખીન હતાં. તે હંમેશાં રાજરી ઠાઠથી રહેતાં હતાં. તેમના કબાટમાં ઘરેણાં અને સાડીઓ ભરપૂર રહેતી. કહેવામાં આવે છે કે જ્યારે કરુણાનિધિ સત્તામાં આવ્યા તો જયલલિતાના ઘરે દરોડા પાડવામાં આવ્યા. તે દરમિયાન તેમના ઘરેથી 750 જોડી સેન્ડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું, સાડા દસ હજાર સાડીઓ, 91 ઘડડિયાળો, 44 એસી અને 19 કાર વગેરે જેટલો સામાન મળ્યો હતો. ત્યાર બાદ તેમના પર આવક કરતા વધારે સંપત્તિનો આરોપ મૂકવામાં આવ્યો હતો વધુ વાંચો
તામિલનાડુમાં બની અમ્મા બ્રાન્ડતામિલવાડુમાં જયલલિતાની લોકપ્રિયતા એટલી વધારે હતી કે તેમના નામને જ લોકોએ બ્રાન્ડ બનાવી દીધું. હકિકતે, જયલલિતાએ ગરીબો માટે અમ્મા કેન્ટીનની શરૂઆત કરી હતી. જ્યાં ખૂબ જ ઓછી કિંમતે જમવાનું મળતું હતું. ત્યાર બાદ અમ્મા મિનરલ વૉટર, અમ્મા શાકભાજીની દુકાન, અમ્મા ફાર્મસી અને અમ્મા સીમેન્ટ પણ માર્કેટમાં આવી વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.