બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ પર સરકારની આલોચના કરી છે. તેમણે તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે બિહારની ડબલ એન્જિન સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે માત્ર 9 દિવસમાં 5 પુલ ધરાશાયી થયા છે.
તેજસ્વીએ તેમના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પર કટાક્ષ કરીને લખ્યું, ‘અભિનંદન! બિહારમાં ડબલ એન્જિન સરકારની બેવડી શક્તિને કારણે માત્ર 9 દિવસમાં 5 પુલ ધરાશાયી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં છ પક્ષોની ડબલ એન્જિન એનડીએ સરકારે બિહારના લોકોને મંગલરાજની શુભેચ્છાઓ પાઠવી છે.’
તેમણે વધુમાં લખ્યું, ‘સ્વ-ઘોષિત પ્રામાણિક લોકો પુલ તૂટી પડવાને કારણે જનતાના હજારો કરોડ રૂપિયાના વ્યયને “ભ્રષ્ટાચાર”ના બદલે “સૌજન્ય” કહી રહ્યા છે. વિપક્ષને ભ્રષ્ટાચારના નારંગી પ્રમાણપત્રો વહેંચનારા અને પક્ષપાતી પત્રકારત્વમાં પૃથ્વી અને આકાશની તમામ રેન્કિંગમાં નંબર વન વર્લ્ડ ચેમ્પિયન, ગોડી મીડિય દ્વારા પ્રમાણિત કરનારા સત્યવાદી અને અવિનાશી નેતાઓ આ સુશાસનના પરાક્રમો પર કેમ મોં ખોલતા નથી?’
અત્યારે બિહારમાં 4 જિલ્લાઓમાં પુલ ધરાશાયી થયા છે, જેમાં અરરિયા, સિવાન, પૂર્વ ચંપારણ અને કિશનગંજનો સમાવેશ થાય છે. મધુબનીમાં નદીનું જળસ્તર વધવાને કારણે પુલનો ગર્ડર તૂટી ગયો છે. આ તમામ પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ પુલો સંપૂર્ણ રીતે તૈયાર થતા પહેલા જ ધરાશાયી થઈ રહ્યા છે, જેને કારણે વિપક્ષ ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે.
Bihar | bridge collapsed in Bihar | tejasvi yadav | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat