Shrimad Bhagwat geeta

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે.

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।

જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર છે; પરંતુ જેણે પોતાનું મન જીત્યું નથી તેનું મન જ તેના પરમ શત્રુ જેમ વર્તે છે. (અધ્યાય છઠ્ઠો, શ્લોક ૬ )

દરેકની સુખની કામના હોય છે, પરંતુ ગીતાના આ મુજબ કહ્યું છે, આવા યોગીને જ ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ।

કેમકે જેનું મન શાંત છે, નિષ્પાપ છે અને રજોગુણ ટળી ગયો છે એવા બ્રહ્મરૂપ થયેલ આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. (અધ્યાય છઠ્ઠો, શ્લોક ૨૭ )

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં દરેક પ્રશ્નનોના ઉત્તર મળે છે.

प्राप्य पुण्यकृतां लोकानुषित्वाशाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।

તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે.(અધ્યાય છઠ્ઠો, શ્લોક ૪૧)

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu