ayurveda-turmeric

શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક વસ્તુઓ આપે છે અને જો એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.
શિયાળામાં હેલ્થને ચમકાવવા માટે આપણે ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ

લીલું લસણ:
લસણના ફાયદા અઢળક છે આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં મળે છે અને જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચનને સશક્ત કરે છે. અને લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે જેના લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. અને એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

બાજરો:
આ એક એવું ધાન્ય છે કે જે શિયાળામાં જ ખાવું જોઈએ. અને બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. અને એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ. અને બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ પણ એવો ખોરાક છે, જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. એમાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ. જાડા થવાની ચિંતા ન કરો. પણ બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે.

લીલી હળદર:
શિયાળામાં બે પ્રકારની અલગ અલગ હળદર મળે છે, એક લીલી હળદર અને બીજી આંબા હળદર. બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. અને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા હળદર જરૂરી છે. ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે. હાડકાંને સ્ટ્રેન્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. અને આ ઉપરાંત એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ ઘણા લાભદાયી છે.

મૂળો:
મૂળો આમ તો ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ શિયાળામાં મળતું કંદમૂળ છે. એમાં ઘણા પ્રકારના ડાયટરી ફાઇબર્સ રહેલા છે અને જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદીની જેવી તકલીફને દૂર કરે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે તો એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝિન્ક અને ફૉસ્ફરસ રહેલાં છે, જેને કારણે સ્કિન- પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

આમળાં:
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ કે જે અત્યંત ઉપયોગી થાય છે. વિટામિન દથી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. અને આમળાંની આમ તો ગણીબધી વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો જ હોય તો એને આખું જ ખાવું જોઈએ.આમળામાં વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે. એટલે કે જો તેને પાણીના સંપર્કમાં લાવીએ તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. અને રોજ સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને તેને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.

લીલાં પાનવાળી શાકભાજી જેમ કે મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન:
જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ મુંબઈમાં આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે •તુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. અને એને રોટલા અને પરોઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ર અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે.

તુવેર-વટાણા-વાલ-લીલા ચણા:
આ પ્રકારની બિયાંવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ જોવા મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે અને આ બિયાંની ખાસિયત એ છે કે એ સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી કહેવાય છે. આપણે ઊંધિયામાં આ બિયાંઓનો ઉપયોગ ખાસ કરીએ છીએ. એટલે જ તો આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. પરંતુ શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળી રહે છે, પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી રહે છે. શિયાળામાં મળતાં આ બિયાં અલગ અલગ વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવાં જોઈએ.

ખજૂર:
ખજૂર આપણે ત્યાં બધા લોકો બધી સીઝનમાં આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો કે જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે એ ગરમ પડે. ખજૂર ખાવાનો અને આનંદ માનવાનો સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ તો બરાબર નથી. ખજૂર અને ઘીની જોડી છે. જો તમને ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ થીણું ઘી લેવું ત્યાર બાદ એમાં બોળીને ખજૂર ખાઓ અને ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.

તલ:
તલ એક એવા પ્રકારનાં બીજ છે કે જેમાંથી આપણને ઘણીબધી સારી ક્વૉલિટીની ફૅટ્સ મળે છે. અને એમાં ખૂબ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું હોય છે. આમ એમાંથી એવું પોષણ મળે છે કે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપતું હોય છે. તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે. તલ અને ગોળનું બંને અત્યંત ગુણવાન માનવામાં આવે છે. તલ કાળા હોય કે લાલ બન્ને ઘણા જ ફાયદો કરે છે અને તલની ચીકી, તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ એકવાર ખાઓ.

ગુંદર:
ગુંદર કે ગુંદને આપણે ત્યાં બધા ઘણો જ પોષણયુક્ત માને છે, પણ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે જે શિયાળામાં પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે. અને ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ પણ બને છે.અને સુખડી, મેથી લાડુ, અડદિયા અને તલનો પાક જેવા અલગ અલગ કેટલાય પાકમાં ગુંદ વપરાય છે અને એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો ઉપયોગી થાય છે.

અડદિયા:
જાતજાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. પરંતુ ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં વધારે પ્રિય પાક છે. અને ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય છે. આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને વસાણાં વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ માનવામાં આવે છે. અડદિયામાં કાળી અને ધોળી મૂસળી, ગોખરું, કૌચા, અક્કલગરો, પીપરીમૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો આજકાલ હાઈ કૅલરીના નામે પણ એ ખાતા નથી, પરંતુ એ એક ભૂલ કહેવામાં આવે છે. જે લોકો વેઇટલૉસ કરતા હોય તેમના માટે પણ આ પાક સારો રહે છે. જરૂરી છે કે તમે સમજો કે એને કેટલું અને ક્યારે ખવાય. શિયાળામાં રોજ સવારમાં એક પાકનું બટકું અને એક કપ દૂધ એ બેસ્ટ નાસ્તો ગણવામાં આવે છે. પરંતુ પાકનાં જમણ ન હોય. પણ એ દરેક ઉંમરની વ્યક્તિએ ખાવા જોઈએ.

કપૂર અને લીંબુનો અકસીર ઇલાજ:
દોઢ થી બે લિટર નવશેકું પાણી લો જેનું તાપમાન સહન થાય તેટલું ગરમ રાખો અને તેમાં એક લીંબુ નીચોવો દો. કપૂરની બે કે ત્રણ ગોળીઓનો બારીક પાવડર કરીને તે પાણીમાં મિક્સ કરી લો. આ પાણીમાં પાંચથી દસ મિનિટ સુધી પગ બોળી રાખો. તમારા શરીરની તમામ જકડાયેલી નસો છૂટી પડવાનો સ્પષ્ટ અનુભવ કરી શકશો અને આનું કારણ એ છે કે આપણા પગમાં 272 પ્રકારના પ્રેશર પોઈન્ટ રહેલા છે, જે આપણા શરીરની તમામ ચેતાતંત્ર સાથે સંકળાયેલા હોય છે. લીંબુ અને કપૂર સાથેનું આ નવશેકું પણ પાણી આ 272 પ્રકારના પ્રેશર પોઈન્ટને બહાલ કરવામાં મદદ રૂપ થઈ છે અને તે શરીરની તમામ નસોને ફરીથી સક્રિય અને સંપૂર્ણ રીતે મુક્ત કરે છે. તમારે ફક્ત પાંચથી દસ મિનિટ માટે આ કરવું જરૂરી છે. અને તમે સવારે અથવા સાંજે ગમે ત્યારે કરી શકો. અને આનાથી પગમાં થતા કળતર બંધ થાય છે અને જો નસ દબાઈ ગઈ હોય અથવા કડક થઇ હોય તો તે પણ ખુલી જાય છે અને માથાનો દુખાવો પણ આ ઉપાયથી બંધ થઇ જાય છે. જે લોકોને માઈગ્રેન થી પીડાય છે તેમને પણ દુઃખાવો બંધ થઈ જશે, જો સ્નાયુઓ સખત હોય અથવા શરીર દુખતું હોય તો અચૂક રાહત થશે. તેની કોઈ આડઅસર થતી નથી અને તેને સરળતા થી કરી શકાય છે. આ ઉપાય પાંચ દિવસ સુધી કરવો જોઈએ. આ ઉપાય જોવામાં સાદો સરળ લાગતો હશે, પરંતુ પરિણામ ખૂબ જ સારું અને અસરકારક આવે છે. દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરવો જોઈએ. શરીરમાં કળતર, ઘૂંટણનો જૂનો દુખાવો, કમર, ગરદન અથવા કરોડરજ્જુમાં નસ દબાયેલ હોય અથવા સખત હોય, તો તે સંપૂર્ણપણે સાજી થઈ જાસો. અને જૂની એડીના દુખાવા પણ મટી જશે. ઘણા લોકોના લાખો રૂપિયા પણ આનાથી બચી શકે છે. અને પગની તિરાડ પડેલી ત્વચા અને મૃત ત્વચા દૂર થઇ જાય છે. પગ નરમ બને છે.