જીવન કઈ રીતે જીવવું એ શીખવા માટે,
જીવના કલ્યાણ અર્થે મોક્ષને કઈ રીતે પામવું તે માટે થઇને.
અજ્ઞાની એ જ્ઞાન માટે,અને વિદ્વાન એ માર્ગદર્શન માટે.
અશિષ્ટ એ શિષ્ટતા માટે અને શિષ્ટએ ખંત અને સમર્પણ માટે.
નિરાશાવાદી એ આશા માટે અને આશાવાદી એ કર્મ નુ મહત્વ જાણવા માટે.
કૃતઘ્ન એ કૃતજ્ઞતા માટે અને કૃતજ્ઞ એ સેવાકાર્ય માટે.
શંકાસ્પદ એ શંકા દૂર કરવા માટેને વિશ્વાશું એ વિશ્વાસ દ્રઢ કરવા માટે.
નિર્બળ એ બળ માટે અને બળવાન એ દિશા માટે.
દરિદ્ર એ સંતોષભાવ રાખવા માટે અને શ્રીમંત એ કરુણાભાવ રાખવા માટે.
નાસ્તિક એ કર્મ જાણવા માટે અને આસ્તિક એ ધર્મ જાણવા માટે.
અશાંત એ શાંતિ માટે અને શાંત એ સ્થિરતા માટે.
અહંકારી એ વિનમ્રતા માટે અને વિનમ્ર એ સાહસ માટે.
અશ્રદ્ધાળુ એ શ્રદ્ધા માટે અને શ્રદ્ધાળુ એ ભક્તિ જાણવા માટે.
દુઃખમાં ધીરજ માટે ને સુખ માં સંયમ માટે,

માણસએ આ જગતમાં પોતાના ઉદ્ધાર માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નુ વાંચન કરવું જોઈએ.