આપણે જાણીએ છીએ કે માયાભાઈ આહીર પણ સેવા કરે છે. આજે અમે એવો જ એક યાદગાર કિસ્સો જણાવીશું. આ વાત સાંભળીને તમને માયાભાઈ પર ગર્વ થશે.
માયાભાઈની એક વિશેષતા એ છે કે તેઓ જાહેર જીવનમાં સ્ટેજ પરથી જે બોલે છે, તેનો જ અમલ તેમના વાસ્તવિક જીવનમાં કરે છે. વાત એમ છે કે રાજુલામાં માયાભાઈ આહીર પાસે દોઢ કરોડની જમીન હતી જે ત્યાંના એક વ્યક્તિએ માંગી અને માયાભાઈએ પોતાની જમીન આપી દીધી.
વ્યક્તિએ માયાભાઈને કહ્યું કે આ જમીન પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોસ્પિટલ બનાવવાની છે. તમે તમારી જમીન આપો, અમે તમને કોઈપણ કિંમત આપવા તૈયાર છીએ.
આ સાંભળીને માયાભાઈ આહીરના મોઢામાંથી નીકળેલા શબ્દોથી લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે હું એક આહીરનો પુત્ર છું અને વર્ષોથી આહીરો હંમેશા ગરીબોને આશ્રય આપતા આવ્યા છે. આ કામ માટે હું મારી જમીનનો એક રૂપિયો પણ લેવા તૈયાર નથી. ગરીબ લોકોની સેવા માટે હોસ્પિટલ બનાવવા માટે હું તમને આ જમીન ભેટમાં આપી રહ્યો છું.
સરસ્વતીનું માન હતું ત્યાં લોક સાહિત્યકારના મુખેથી શબ્દો નીકળ્યા, માયાભાઈ આહીરે આ યુગમાં પોતાની માનવતાને જીવંત રાખી દોઢ કરોડની જમીન દાનમાં આપી. હકીકતમાં માયાભાઈએ કરેલું કામ ખૂબ જ ઉમદા છે જે આજકાલ કોઈ કરી શકતું નથી.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu