પરબના મહંતશ્રી ગંગામાતાજી, પરમ પૂજ્ય મહંતશ્રી કાનદાસબાપુના શિષ્ય હતા.
પરબના કોઠારી પદે હરિદાસબાપુ હતા.પરબ જગ્યામાં એવું એક સેવાનું ભગીરથ કામ કર્યું હતું કે, જેનામાં પરબતણી પીરાઈ અને પીરાણાની ભભક ભરી હતી. જેનું રૂપ જાણે કે, એક દેવી સ્વરૂપ લાગતું, તેમાં માતા અમરમાની આધિનતા સમાયેલ હતી, માતા ગંગામાએ પરબ જગ્યાની અંદર ૪૨ વર્ષ ગાદી સંભાળી હતી તેમના જીવનની નિર્મળતા અને કરૂણતા જોઈએ તો એક માતા અમરમાનું બીજુ સ્વરૂપ લઈને કેમ આવ્યા હોય..! તેવું લાગતુ હતું અને તેમનું એવું પવિત્ર જીવન હતું કે, જેની પાસે અણમોલ સિદ્ધિ હતી જે વચન-વિશ્વાસથી ભરપુર હતા. જેને વચન સિદ્ધિ વરેલી હતી. જાણે બોલે તેમ થાય..! એવા ઘણા પરચાઓ પરબમાં જોવા મળે છે.

માતા ગંગામાઁ સર્વ માનવી પ્રત્યે જીવયા રાખીને સમભાવથી સતકર્મ કરતા. આશરે આવેલ અતિથી અભ્યાગતની સેવા કરતા દિન-દુખિયા લોકોને ખબર-અંતર પુછીને દુઃખની શાંતવના આપતા અને માતાતણા પ્રેમભાવથી ટુકડો જમાડતા જમો મારા બાલુડા બાળકો આવો સ્પ્રંગી અમરમાતાનો ટુકડો પ્રેમથી જમો પરંતુ માઁ- તુલ્યભાવથી પીરસાતો ટુકડો અમૃત સમાન લાગતો. જેથી જમતા માનવીના જીવનમાં પરિવર્તન આવી જતુ હતું છતા ટુકડો જમતા અચકાતા કારણ કે, આ પરબનો ટુકડો.

પરબમાં આવતા ઘણા સેવકો કહે, આ પરબતણુ પાણી પીવાય પરંતું ચરણામૃત તરીકે તો ઘણાય ઘરેથી પાણીની ભુંભલી ભરીને લાવતા અને પરબની સેવા કરતા એવા ઠાખલાઓ છે અને ટુકડો લેવો તો એક પ્રસાદીરૂપે લેવો કારણ કે, આ રક્તપિત્ત કોઢીયાઓનો માલ પાછો પંચકણકીનો માલ એટલે જ માતા ગંગામાઁ કહે, બેટા આ રòપત્ત, કોઢીયા તેમજપરબના મુંડિયાનો ટુકડો છે તેમજ આવનાર અતિથી દેવો ભવઃ માટે ટુકડો જમતા પહેલા થોડો વિચાર પણ કરજો. થોડી-જાજી સેવા કરીને આ ટુકડો જમજો નહીતર આ ટુકડો પચાવવો ભારે પડશે એટલે પરબમાં આવીએ તો થોડી-જાજી સેવા કરીને જાવુ એ પણ આપણો માનવ ધર્મ છે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, કોઈકની દુઆ લેતા શીખએ, જો-જો સેવા કરતા કઠુઆ ન લેતા નહીતર ભવમાં ભટકતા જીવડા બની જશુ તો આપણું છાણાના કિડા જેવું જીવન થઈ જશે એટલે પરબનો ટુકડો જમવો તો પચાવવો ભારે પડશે માટે સેવા એજ ધર્મ અને જગ્યાની અંદર સત દેવીદાસ અને અમરમાતાનો થોડો ડર રાખીને સમર્પણ ભાવના રાખજો મુંડિયાની માલ-મિલ્કત જો-જો આ મિલ્કતમાં નજરૂ કરશો તો કાળો કોઢ પણ નીકળશે. જો આ સંપત્તિ લઈને જો કોઈ રાજી થશે તો પેઢી પણ સાફ થઈ જશે. પરબની સાચી સંપત્તિ ધુણાની ભસ્મ અને પરબની સેવા છે તેને ગ્રહણ કરતા શીખજો તે લીધેય ખુટતા નથી અને અખંડ રિદ્ધિ-સિદ્ધિ સહીત ભરપુર રહે છે.

પરબ જગ્યામાં આવતા ગુપ્ત દાનમાં આવેલી વસ્તુ બધી સરખા ભાવે આવતી નથી. જેને પાપમાંથી મુક્ત થવા તેમજ ભયથી મુક્ત થવા તેમ દર્દ ભરેલી માનતા તેમજ કોઈ શ્રદ્ધા-વિશ્વાસથી સદાવ્રતમાં આપતા હોય છે એટલે જ માતા ગંગામાઁ, પૂ.સેવાદાસબાપુ, પૂ.હરિદાસબાપુ, પૂ.સીતારામબાપુ, પૂ.કરશનદાસબાપુ તેમજ પરબના સર્વ મુંડીયાઓનો એક જ ધ્યેય હોય છે કે, બેટા કોઈ જીવને મદદરૂપ થઈને દુઃખમાં ભાગ લેજો, કોઈ જીવને સંતાપતા નહી તેમજ તેમને જે સુખ મળ્યું છે તેમાં બીજાનો ભાગ છે માટે વહેંચીને ખાજો અને આ દેહથી થાય તેટલી સેવા કરજો તેમાંજ આપણું કલ્યાણ છે.માતા ગંગામાઁ ગામડે-ગામડે ઝોળી ફેરવવા જતા તો ક્યારેક સેવકોમાં એકા ગાડી લઈને જતા અને જ્યારે-જ્યારે માતા ગંગામાં એક બાવળી ઘોડી પર સવાર થાય ત્યારે જાણે કે એક જોગણી સ્વરૂપ હતું. ક્યારેક ભગવી કફની ક્યારેક લીલી કફની પહેરતા તો જાણે એક દેવી ક્ત કેમ હોય..!

તેવું લાગતુ. માતા ગંગામાઁએ ઘણા વર્ષ પરબની ટેલ કરી અને પરબના નામસ્મરણ કરતા જીદંગી વિતાવી અને પોતાના આ નાશવંત દેહને પરબની માટી ભેગી માટે ભેળવી દિધી અને જાણે કે આ માનવ દેહથી કર્મ થકી તો બધાના ઋણ ચુકવાય છે પરંતું આપણા આ નાશવંત દેહની માટીથી પણ માતા ધરતીની ઋણ ચુકવાય છે. જે માટે આપણી કાયા જો સતકર્મ રૂપી દિપતી હશે તો તેમની સુવાસ જગતમાં દિપશે અને આપણા હાડપીંજર પણ ક્યારેક જવાબ આપશે અને તેમાંથી ક્યારેક આપણા સુવિચારો પ્રગટ થઈને કોઈને કંઈક આવી પ્રેરણા થશે. આ એક પ્રારબ્ધની કર્મ ઉપર હોય છે પરંતું કોઈક સંતની કૃપાથી માનવીના જીવનમાં નવી ક્રાંતિ આવે છે અને જ્યોતમાંની એક જ્યોતિ પ્રગટે છે એવું આપણને પરબના એક ઈતિહાસમાં જોવા મળે છે. સંત દેવીદાસબાપુ થકી માતા અમરમાં, સાદુલપીર, સાંઈ સેલાની 3ડાપીર, માંડણપીર, રામભગત, માંગલમાતા, ઉકરડાપીર(રખડી), જીવણઠાસ, સોનબાઈ, લીરબાઈમાતા, વજસી ભગત આવી અને જ્યોતિ પ્રગટી છે. એવી જ રીતે માતા ગંગામાઁ જેવા મહાન સાધ્યનીની અમર જ્યોતથી પૂ.કોઠારી હરદાસબાપુ, પૂ.બાલકદાસબાપુ, પૂ.સેવાઠાસબાપુ, પૂ.સીતારામબાપુ તેમજ ઢસા આત્મારામબાપુ જેવી સંતોની જ્યોતિઓ પ્રગટી છે. આજે તેમને યાદ કરીએ છે.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••