આજે મહાશિવરાત્રી નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા. શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ભગવાન ભોલાનાથની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ લીધા હતા. જે બાદ તેમણે આગામી લોકસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વધુ વાંચો.
લોકસભાની ચૂંટણીને હવે 400 દિવસ બાકી છેઃ વિજય રૂપાણી
સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘સોમનાથ દાદાના મારા પર અપાર આશીર્વાદ છે. આગામી લોકસભાની ચૂંટણીને આડે 400 દિવસ બાકી છે અને મેં સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો જીતે.વધુ વાંચો.

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે આ માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મહત્વની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમાં દરેક સીટ માટે અલગ-અલગ પ્રભારી હશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અશોક ધોરજિયાને નવસારી લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.વધુ વાંચો.
સર્વે મુજબ પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થયો નથી.
તાજેતરના એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થયો નથી અને આગામી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને પૂર્ણ બહુમતી મળવાની આશા છે. ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે 284 સીટો જીતી શકે છે. સર્વેમાં સામે આવ્યું છે કે 72 ટકા લોકો વડાપ્રધાનના કામથી સંતુષ્ટ છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.