આ પૃથ્વી પર શ્રીજીમહારાજના પ્રગટ થવાના હેતુઓમાં એક હેતુ, શુદ્ધ ઉપાસના ફેલાવવી અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું એ હતો. શુદ્ધ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરરૂપ થવા માટે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવો, તેમના રૂપ થઈ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવી અને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનું ભજન કરવું. અક્ષર અને પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીરૂપે આ પૃથ્વી પર આવ્યા, તેની યથાર્થ ઓળખાણ થાય તે જ સાચી ઉપાસના વધુ વાંચો

પણ મનુષ્યરૂપે પધારેલ આ ભગવાનના સ્વરૂપને જીવો જેમ છે તેમ ઓળખી ન શકે. તેમનામાં મનુષ્યભાવ દેખી સાચું જ્ઞાન ન પામી શકે. આથી, શ્રીજીમહારાજના પરમહંસોએ તેમનો મહિમા લોકોને સમજાવ્યો. તેમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો શ્રીજીમહારાજ એ જ સર્વોપરી ભગવાન છે તેમ રાત-દિવસ વાતો કરીને સમજાવ્યું. તેમની સાધુતા, બ્રહ્મસ્થિતિ અને સર્વોપરી નિષ્ઠાવાળી જોશીલી વાણીથી, શ્રીજીમહારાજ સર્વોપરી છે એ વાત સંપ્રદાયમાં જાહેર થવા લાગી વધુ વાંચો
તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો પ્રાગજી ભક્તે તેમજ જાગા ભક્તે ‘ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે’ તે વાત પ્રવર્તાવી. આમ, અક્ષર અને પુરુષોત્તમની વાત વહેતી થઈ; પણ બીજા દેવોની મૂર્તિઓ જેમ મંદિરોમાં છે તેમ અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ મંદિરોમાં પધરાવવાની હિંમત હજુ કોઈની હતી નહીં. કારણ કે સંપ્રદાયમાં રૂઢિથી ચાલી આવતી જડ માન્યતાવાળો એક વર્ગ આ સાચા સિદ્ધાંતનો અને તે સિદ્ધાંતનો પ્રચાર કરનારાઓનો જોરશોરથી વિરોધ કરતો હતો અને એ વિરોધના સામા પૂરમાં પડવાની હિંમત શાસ્ત્રી મહારાજે બતાવી અને સૌ પ્રથમ વઢવાણમાં અક્ષરપૂરષોત્તમનીની મૂર્તિપ્રતિષ્ઠા કરાવી અને ત્યારબાદ બોચાણવાસમાં પણ શાસ્ત્રી મહારાજે પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.