પહેલા ભારત પોતાની ધરતી પર આતંકવાદી હુમલાઓને સહન કરી રહ્યું હતું. પરંતુ ગતવર્ષોમાં આ હુમલાઓમાં નિયંત્રણ મેળવ્યું હોય તેવું જણાય છે જેમાં બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે ભારત હવે સરહદની બહાર રહેલા આંતકીઓનો પણ ખાતમો કરી રહ્યું છે, આની પાછળ ભારતની ગુપ્તચર એજન્સી RAWનો હાથ છે. જેના પર સંપૂર્ણ નિયંત્રણ પીએમ મોદીનું રહેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે આંતકીઓ ભારત માટે ખતરો જણાય તેનો ખાતમો થઇ રહ્યો છે

ભારત હવે દરેક મુદ્દે પાકિસ્તાનને ખરો જવાબ આપી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાનને ખુલ્લેઆમ જવાબ આપવામાં આવી રહ્યો છે. . તેમજ દેશની બહાર રહેલા આંતકીઓ પ્રત્યે પણ એકશન લેવાઈ રહ્યો છે.

 

બ્રિટિશ અખબારનો દાવો છે કે, પીએમ મોદી આપી રહ્યા છે આદેશ

બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે આની પાછળ ભારતની ગુપ્તચર એજન્સી RAWનો હાથ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પીએમ મોદી આ આદેશ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેઓ RAWને નિયંત્રિત કરે છે. ભારત સરકારે બ્રિટિશ મીડિયાના દાવાને ફગાવી દીધા છે. સરકારે આરોપોને નકારી કાઢતા કહ્યું કે ભારત ક્યારેય લક્ષિત હત્યાઓ કરતું નથી.