જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વતની મુલાકાત લેવા આડે દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પરંતુ એ લોકો માટે ખૂબ અગત્યની ખબર છે થોડા દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેવાનું છે.

ગિરનાર રોપવે 11 થી 20 જૂન સુધી બંધ રહેશે. મેનેજમેન્ટ કંપની ઉષા બ્રાકો દ્વારા જાળવણીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સેવાઓ 21 જૂનથી સામાન્ય રીતે ફરી શરૂ થશે.

ગિરનાર રોપવે લંબાઈ અને ઊંચાઈની દૃષ્ટિએ એશિયાનો સૌથી લાંબો રોપવે છે. સલામતીના દૃષ્ટિકોણથી, રોપ-વેની જાળવણીનું કામ પણ સમયાંતરે સતત કરવામાં આવે છે. ગિરનાર રોપવે 11 થી 20 જૂન સુધી બંધ રહેશે. જેમાં રોપ-વેના નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરો મેઇન્ટેનન્સની કામગીરીમાં જોડાશે. તમામ પ્રકારના સુરક્ષા સાધનો પણ 10 દિવસ સુધી જાળવવામાં આવશે. 21 જૂનથી રોપવે સેવાઓ સામાન્ય રીતે ફરી શરૂ થશે.

गजब! यहां है एशिया का सबसे बड़ा उड़न खटोला, पहले चढ़नी पड़ती थीं 10 हजार  सीढ़ियां - Gujarat AajTak

ગિરનાર રોપ-વેમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરતા કુલબીર સિંહ બેદીએ મેઈન્ટેનન્સ અંગે મહત્વની માહિતી આપી છે. જેમાં સમયાંતરે રોપ-વેનું સતત નિરીક્ષણ, લોઅર સ્ટેશનથી રોપ-વેના ઉપરના સ્ટેશન સુધીના તમામ સ્થળોની જાળવણી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુસાફરોને બેસવા માટેની ટ્રોલીઓથી લઈને રોપવેના કેબલ અને તમામ એન્જિનિયરિંગ કૌશલ્યોનું પણ નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સમગ્ર જાળવણી પ્રક્રિયામાં 8 થી 10 દિવસનો સમય લાગે છે. રોપવે સાથે સંકળાયેલા તમામ ઇજનેરો દ્વારા રોપવે મુસાફરી માટે યોગ્ય હોવાનું પ્રમાણિત કર્યા પછી, તે પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવે છે.