- આ મહિલાએ કરોડોની સંપત્તિ હનુમાનજીના નામે કરી..
આપણે જાણીએ છે કે, ધનવાન લોકોના ઘરે દીકરો કે દીકરી નહિ પણ વારસદાર જન્મે છે. આજે આપણે એક એવા મહિલા વિશે વાત કરીશું જેણે પોતાની કરોડોની સંપત્તિ હનુમાનજીના નામે કરી દીધી. આ વાત જાણીને સૌ કોઈ ચોંકી જાય પરંતુ ખરેખર આ ઘટના સાચી છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ મહિલાને બે દીકરાઑ હોવા છતાં પણ પોતાના ભાગની સંપત્તિને દાનમાં આપી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક મહિલા શિક્ષિકાએ હનુમાન મંદિરના નામે લગભગ એક કરોડની સંપત્તિ દાનમાં આપી. તેમણે તેમના બે પુત્રોનો સત્તાવાર હિસ્સો તેમના નામે કરીને તેમના ભાગનો હિસ્સો મંદિરને દાનમાં આપ્યો.આમહિલા શિક્ષિકાનું નામ શિવ કુમારી જાદૌન છે. તે વિજયપુર વિસ્તારના ખીતરપાલ ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

હાલમાં સોશિયલ મીડીયામાં આ મહિલા શિક્ષકની સૌ કોઈ ટીકા પણ કરી રહ્યા છે,કારણ કે લોકોનું કહેવું છે કે, આટલી સંપત્તિ મંદિરમાં આપવાને બદલે શાળા બનાવવી જોઈતી હતી તેમજ આ પૈસા જરૂરિયાતમંદ લોકોને આપવા જોઈતા હતા, મંદિરમાં દાન આપવાથી માત્ર મંદિરની તિજોરીઓ ભરાય છે તેમજ આ દાન દ્વારા માનવ સેવાના કોઈ કાર્ય થતાં નથી, જેથી કરીને માનવ સેવા એજ પ્રભુ સેવા છે.