સુખ-દુઃખ, હર્ષ અને ઉલ્લાસ ક્ષણિક છે. આવી ક્ષુલ્લક લાગણીઓને દબાવવી એ સાધક માટે જરૂરી છે, કારણ કે ઇન્દ્રિયજન્મ’ લાગણીઓ મમતા’ ઉત્પન્ન કરે છે, જે ઇણિક જીવ માટે બંધનકર્ત’ છે, બાહ્ય પરિસ્થિતિ અને ભૌતિક પદાર્થો દ્વારા થતો આવેગ’ ઈશ્વર સાથેના તાદાત્મ્ય થવાના પ્રયત્નોમાં બાધક નીવડે છે.
ચાલતાં ચાલતાં મેં આમ વિચાર્યું અને તત્કાળ તેની અસર પણ થઈ. ‘હું’ શાંત થયો. દેહાભિમાન નાશ પામ્યું, મને લાગવા માંડ્યું કે, ઇન્દ્રિયોના વર્ચસ્વવાળું આ શરીર ચાલે છે અને શરીર એ ‘હું’ નથી. શરીરથી જુદો ‘હું’ તો સચ્ચિદાનંદ ‘આત્મા’ છું. આત્મા હર્ષ અને શોકથી અલિપ્ત છે.
સભામંડપ પાસે પહોંચતાં જ કાર્યકર્તાઓ, સેવકોએ વંદન કરી અમારું સ્વાગત કર્યું. કૅમેરા અને વિડિયો શૂટિંગના પ્રકાશને વીંધતા અને સેવકો દ્વારા આગળ દોરાવતા અમે સભામંડપમાં પ્રવેશ કર્યો. માધવાનંદજીને સ્ટેઈજ ૫૨ બિરાજેલા મહંતો અને મંડલેશ્વરો વચ્ચે સુશોભિત આસન પર સ્થાન મળ્યું. અન્ય સાધુઓ સાથે સ્ટેઈજની નીચે પ્રથમ હરોળમાં મને પણ આદરથી આસન આપી બેસાડવામાં આવ્યો.
જ્યાં સુધી સાધકની સાધના પરિપક્વ ન બને, ત્યાં સુધી સાધકને તેની માનસિક ગ્રંથિઓ નડતરરૂપ બન્યા કરે છે. આ જન્મ તેમજ જન્માંતરના સંસ્કારો તેના માનસપટ પર અંકિત થયેલાં હોય છે, જે ભૂંસાતા કદાચ ઘણા જન્મોની પણ વાર લાગે. આ સંદર્ભમાં સાધક તરીકે ઘણા આગળ વધી ચૂકેલા મને પણ થોડી લઘુતાગ્રંથિ’નો અનુભવ થયો. ઉપસ્થિત ખૂબ મોટા ધનિકલોકો તેમજ સંતો-મહંતોની વચ્ચે આદર મેળવતો હું વિચાર કરી રહ્યો, ખરેખર શું હું આ માનને પાત્ર છું ? એક સામાન્ય માણસ તરીકે ઉછરેલો, જીવેલો અને ખાસ તો અકર્મક એવો હું કોઈ જન્મના સારા કર્મોને પરિણામે આ બધાની વચ્ચે સુપાત્ર સાધુની માફક સ્થાન મેળવીને બેઠો છું. જીવનમાં ઘણા અનુભવો મેળવ્યા છે, પરંતુ આવો અનુભવ તો મારા માટે એક અનોખા પર્વ જેવો છે. આટલા સાધુ-સંતો, મહંતોની વચ્ચે એક સાધુ તરીકેનું સન્માન મેળવતા મેં મારી જાતને ક્યારેય પણ કલ્પી ન હતી. ખેર
બધાં સંતોની જે રીતે ભેટ-પૂજા’ થઈ એ રીતે મારી પણ ભેટ-પૂજા કરવામાં આવી. ગૃહસ્થ હોવા છતાં હું સાધુ તરીકે જીવન જીવું છું, છતાં મને ખૂંચતી વાત એ હતી કે, હું દીક્ષિત સાધુ તો નથી જ. મારા આ ભાવો જાણી ઘણી વખત માધવાનંદજી કહેતા, સાધુ ભલે ભગવાં કપડાં પહેરે, દાઢી-મૂછ રાખે, પરંતુ એ એક માત્ર સાધુના લક્ષણો નથી. પ્રામાણિક, શુદ્ધ ચારિત્ર્યવાન અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પવિત્ર રહી, જીવન જીવતી સમાજની કોઈ પણ વ્યક્તિ સાધુ જ ગણાય.’ પછી આગળ કહેતા, ‘તમે પણ સાધુ જ છો. કદાચ સાધુ કરતાં પણ કાંઈક વિશેષ. કારણ કે સુખી ગૃહસ્થાશ્રમ છોડી તમે
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu