TMKOC-Champakchacha

ટીવીનો પોપ્યુલર સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની સ્ટોરી દર્શકોનું મનોરંજન કરવા ઉપરાંત એક ખાસ મેસેજ પણ આપે છે. દરેક કલકારોની લોકપ્રિયતા વધારે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોના ઘણા કલાકારોએ શો છોડી દીધો છે.

લોકોને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે શોના મુખ્ય અભિનેતા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ શો છોડી દીધો. તે જ સમયે, અન્ય એક અભિનેતાએ શો છોડ્યો હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે. આ કેરેક્ટરનું નામ જાણીને તમને ફરી એકવાર મોટો આંચકો લાગશે.’સિરિયમાં ઘણા સમયથી ચંપકલાલ શોમાં જોવા મળ્યા નથી જેથી કહી શકાય કે બાપુજી હવે આ શો છોડી દેશે. આપણે જાણીએ છે કે, શૉમાં બાપુજીનું પાત્ર એક્ટર અમિત ભટ્ટ ભજવી રહ્યા છે. ખરેખર, ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ તાજેતરમાં સેટ પર શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ કારણે તેણે શોમાંથી બ્રેક લીધો છે. ડોક્ટરે અમિતને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં, ચંપક ચાચા છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળ્યા નથી અને ફેન્સ તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે. અમિત ભટ્ટે બ્રેક લીધો કે તરત જ મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા કે તેમનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો. હકીકતમાં, ઘણા સમયથી, આપણે શોના કલાકારો સાથે મેકર્સનો ઝઘડો જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં, જો કોઈ કેરેક્ટર સ્ક્રીન પર જોવા ન મળે, તો દર્શકોને લાગે છે કે તેણે શો છોડી દીધો છે.