અમે તમારા માટે ઘીથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ. અને જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે સૌથી ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું છે? અને ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવતું હોય છે.
સામાન્ય રીતે ગાયનું ઘી અને ભેંસનું ઘી બંને સારા માનવામાં આવે છે, પરંતુ ગાયના ઘીનું સેવન વધુ અને વધુ સારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ગાયના ઘીમાં વિટામિન A, વિટામિન D અને K, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ અને ફોસ્ફરસ તેમજ એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે, એટલું જ નહીં, ગાયના ઘીમાં ઓમેગા 9 ફેટી એસિડ પણ રહેલા હોય છે.
ભેંસના ઘીમાં ગાયના ઘી કરતાં વધુ ચરબી રહેલી હોય છે. અને તેથી, ભેંસનું ઘી વજન વધારવા માટે સારું રહે છે, જ્યારે ગાયનું ઘી માં ચરબીનું પ્રમાણ ઓછું રહેવાથી વજન ઘટાડવા માટે ઉપયોગી થાય છે. ગાયનું ઘી વિટામિન Aથી ભરપૂર રહેલું હોય છે, જેના કારણે તેનો રંગ પીળો હોય છે, જ્યારે ભેંસનું ઘી સફેદ રંગનું હોય છે. આયુર્વેદિક દવાઓમાં ભેંસના ઘીની તુલનામાં ગાયનું ઘી આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક માનવામાં આવતું હોય છે.
ગાયના ઘીથી થતા સ્વાસ્થ્યમાં લાભો: વજન ઘટાડવામાં મદદરૂપ અને આંખો માટે ફાયદાકારક, પેટની ગરમી શાંત કરવામાં મદદરૂપ થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે, માઈગ્રેન કે માથાના દુખાવાની સમસ્યામાંથી રાહત, શરીરમાંથી ઝેર દૂર કરે છે
ભેંસ ઘી આરોગ્ય થતા લાભો: વજન વધારવામાં મદદરૂપ થાય છે, તેના સેવનથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે, અને માનસિક રોગો મટાડવામાં ફાયદાકારક રહે છે, ભેંસનું દૂધ યાદશક્તિ વધારે છે, અને પાચન સંબંધી વિકૃતિઓ પણ દૂર કરે છે.